ગુજરાતમાં કોરોનાના નોંધાયા નવા 510 કેસ, 31 દર્દીના મોત : કુલ કેસ 25,658
રાજ્યમાં કોરોના વાયરસના નવા 510 કેસ નોંધાયા છે. આજના કેસ સાથે રાજ્યમાં કુલ કેસ 25,658 થયા છે. આજ રોજ 348 દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. જ્યારે 31 દર્દીના અવસાન થયા છે.
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,10, 803 લોકોને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી 2,06, 770 દર્દી હોમ કોરોન્ટાઈન છે અને 4,033 દર્દી ફેસેલિટી કોરોન્ટાઈનમાં છે.
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 6239 છે જેમાંથી 6178 દર્દી સ્ટેબલ છે જ્યારે 61 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 17,729 દર્દીને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે જ્યારે 1592 દર્દીના મોત નીપજ્યા છે.
નવા નોંધાયેલા કેસનું બ્રેકઅપ
અમદાવાદમાં 317, સુરતના 82, વડોદરામાં 43, ગાંધીનગરમાં 11, ભરુચમાં 9, જામનગરમાં 7, આણંદના 6, અરવલ્લી અને પાટણમાં 5-5, ભાવનગરમાં 4, બનાસકાંઠા, નવસારીમાં 3-3, સાબરકાંઠા, પંચમહાલ, અમરેલીમાં 2-2, રાજકોટ, ખેડા, બોટાદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, નર્મદા, મોરબીમાં 1-1 અને અન્ય રાજ્યના 2 કેસ
ગુજરાતમાં કોરોનાના નોંધાયા નવા 510 કેસ, 31 દર્દીના મોત : કુલ કેસ 25,658
Reviewed by Admin
on
June 18, 2020
Rating:
No comments: