જો તમારી પાસે કાર છે તો કાર્ડ નહીંઃ રેશનકાર્ડ થી અનાજનો ખોટો લાભ લેતા લોકોના રેશન કાર્ડ રદ કરાશે




જો તમારી પાસે કાર છે તો કાર્ડ નહીંઃ રેશનકાર્ડ થી અનાજનો ખોટો લાભ લેતા લોકોના રેશન કાર્ડ રદ કરાશે


>રાજ્યમાં ઘણા એવા લોકો છે કે, જેમને સરકાર દ્વારા આપવામાં અનાજની કોઈ જરૂર નથી છતા પણ તેઓ સરકારી અનાજ લે છે. પૈસે ટકે સુખી અને કાર જેવા વાહનો ધરાવતા લોકો પણ રેશનકાર્ડનું અનાજ મેળવે છે. ત્યારે આવા લોકો સામે આગામી સમયમાં કાર્યવાહી કરીને તેમણે નામ રેશનિંગ કાર્ડમાંથી કમી કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે. કાર ધારવતા રેશનકાર્ડ ધારકોનો ડેટા મેળવવા માટે RTO કચેરીની મદદ પણ તંત્ર દ્વારા લેવામાં આવશે. રાજ્યનો પુરવઠા વિભાગ રીજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી પાસેથી કાર જેવા વાહનો ધરાવતા લોકોનો ડેટા મેળવશે અને આ ડેટાના આધારે કાર ધરાવતા બોગસ લાભાર્થીના નામ કમી કરવામાં આવશે.
➛ આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક છે કે નહીં અને કયો નંબર લિંક છે, આ સરળ પ્રોસેસથી જાણી લો

રિપોર્ટ અનુસાર રાજ્યમાં  69 લાખ પરિવારના 3.36 કરોડ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ નોંધાયેલા છે. આ તમામ લોકો રાહતના ભાવે સરકાર દ્વારા આવતું અનાજ મેળવે છે પરંતુ આમાં કેટલાક એવા પણ લોકો છે કે, જેમને ખરેખર આ અનાજની જરૂર નથી. જે લોકોને આ અનાજની જરૂર નથી છતા પણ દર મહિને અનાજનો જથ્થો મેળવે છે તેવા લોકોના નામ રેશનકાર્ડમાંથી કમી કરવાની તજવીજ તંત્ર દ્વારા કરવામાં આવશે. આ બાબતે પુરવઠા નિગમના અધિકારીના કહેવા અનુસાર RTO પાસેથી કાર ધરાવતા લોકોનું એક લિસ્ટ માંગવામાં આવ્યું છે. આ લિસ્ટ મળ્યા પછી આધારકાર્ડના નામની સાથે રેશનકાર્ડ અને RTOની વિગતને સરખાવીને કાર હોવા છતા પણ રેશનકાર્ડનો જથ્થો મેળવતા લોકોના નામ હટાવવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

મહત્ત્વની વાત છે કે અમદાવાદમાંથી પુરવઠા વિભાગ દ્વારા બે મહિનાના સમયમાં 1000 જેટલા લોકોના નામ રેશનકાર્ડમાંથી કમી કરવામાં આવ્યા છે. કાર ધારવતા લોકોની સાથે-સાથે એક વર્ષથી અનાજ નહીં લેનારા લોકોના નામ પણ રેશનકાર્ડમાંથી હટાવી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ કામગીરીને વેગ આપવા માટે ડોર-ટૂ-ડોર સર્વે કરવાની પણ કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવશે. ગુજરાતમાં વર્ષ 2013થી આ બાબતનો અમલ શરૂ થઈ ગયો છે. જેમાં શહેરી વિસ્તારમાં રહેતા પાકા મકાન અને કાર ધરાવનારાઓના નામ દૂર કરવામાં આવ્યા હતા. પુરવઠા વિભાગ દ્વારા જરૂર ન હોય છતા પણ અનાજ લેતા લોકોના નામ દૂર કરવા માટે RTOની સાથે જ્ન્મ અને મરણની વિભાગની સાથે પણ કામગીરી કરવામાં આવી રહી છે. 

જો તમારી પાસે કાર છે તો કાર્ડ નહીંઃ રેશનકાર્ડ થી અનાજનો ખોટો લાભ લેતા લોકોના રેશન કાર્ડ રદ કરાશે જો તમારી પાસે કાર છે તો કાર્ડ નહીંઃ રેશનકાર્ડ થી અનાજનો ખોટો લાભ લેતા લોકોના રેશન કાર્ડ રદ કરાશે Reviewed by Admin on November 18, 2020 Rating: 5

No comments:

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();

Popular

Theme images by Flashworks. Powered by Blogger.